ધાગા લોહીના કાચા – નાતા પ્રીતના સાચા

નવલકથા ની ઓળખ

 લેખક હરીશ પંચાલ ‘હૃદય


લાગણી ઝંખતાં હૈયાંઓને એક-બીજાથી આવો આપણે જોડતાં જઈએ,

ઘટતું હોય એકમાં તેને બીજા ઊભરાતાં હૈયાંમાં થી સરભર કરતાં જઈએ.

ક્યાંક કોઈની આંખો વહાવે દુ:ખના આંસુ, તો ક્યાંક કોઈની આંખોથી નીતરે લાગણીઓનાં પૂર .

કોઈના ખાલી હૃદયે વસે  ખોવાયેલાઓની અધૂરપ, તો કોઈક પાત્રો શોધે વહેંચવાને હૈયે ઉમડતી પ્રીત.

અતડા કોઈક હૈયાંઓમાં લાગણીની ઊણપ, તો દેવાને કોઈના હૈયે આનંદ છલકે જેવી દાનવીરોની રીત.

કોઈ ગુસ્સાની આગમાં લાગણી ભર્યાં સ્વજનો ત્યજે, તો કોઈ ત્યજાયેલાંઓને સ્થાયી કરવાનો ભેખ લઇને જીવે

પાયા વગરના બેફામ ક્રોધથી કોઈ વિસારે સાન-ભાન, તો કોઈ દુ:ખોના દરિયા પીને પણ વહેંચે  પ્રીતના દાન.

ઈશ્વરની દુનિયા છે આ, એકમાં જે હોય ઘટતું, સરભર એને કરવા કાજે પૃથ્વી પર એ મોકલે પોતાના કોઈ  સંત કે સાધુ.

લાગણી વિહોણા ખોળિયાંઓ લઈને અહીં જીવે છે ઘણા, આવો આપણે ખોજીએ કોઈ દાનેશ્વરીનાં પ્રીત ઉભરતાં હૈયાં,

જે લોહીના સંબંધોથી પણ ઉપર  જઈને,  નિર્મળ લાગણીનાં નીર પાઈને, નિર્લેપ  હૈયે જન્મો જનમની પ્યાસ બુઝાવે.

કેટલાંય જન્મોથી તલસી રહેલાં સુખ, શાંતિ અને સંતોષ શોધતાં રહેલાં આપણા હૈયાંની અધૂરપ થી હારીને,

જીવન સાગરના કિનારે બેઠા હોઈશું, ત્યારે કોઈક વિરક્ત આત્મા આવીને ઝાલશે આપણો હાથ, પછી લઇ જશે

અને કહેશે, “તેં અનુભવ્યું ને, - ધાગા લોહીના હોય કાચા, તો ચાલ હવે જોડી લઈએ નાતા પ્રીતના, જે રહેશે સાચા.”

અને ત્યારે આપણને જે સમજાશે તે માત્ર ‘શબ્દાર્થ’ નહીં, પણ જીવનનો ‘તત્વાર્થ’: “ધાગા લોહીના કાચા – નાતા પ્રીતના સાચા”.

તો ચાલો, આપણે આ નવલકથાના જીવંત પાત્રોના જીવનમાંથી વહેતી સંવેદનાઓને ઝીલતા જઈએ, હૃદયમાં ઉતારતા જઈએ.

પ્રેમથી કટુતાને ત્યજતા જઈએ, લાગણીઓથી ક્રોધને જીતતા જઈએ અને માનવસંબંધોમાં પ્રીતની જ્યોત જગાવતા જઈએ .

આવનારા જન્મોમાં, જીવનના કોઈ મોડ ઉપર ભેગા મળીશું ત્યારે આપણા હૈયાં એકબીજાના પહેચાની લેશે ,

અને ચહેરે સ્મિત લાવીને પરસ્પરને કહેશે: “આપણા તો નાતા રહ્યા છે પ્રીતના, એમને તાજાં કરીએ”

 

માનવ સંબંધોમાં દરેક સંબંધનું એક વિશેષ મહત્વ છે અને બધા સંબંધોને એમના મહત્વ પ્રમાણે લાગણીથી જાળવવાના હોય છે. જુવાનીના જોશમાં અને પોતાનું ધાર્યું નહીં થતાં એક અણસમજુ યુવાન અવિચારી વર્તનમાં લોહીના સંબંધો તોડીને ચાલી જાય છે,

ત્યારે માતા-પિતાના જીવનમાં એક ગાઢો અંધકાર છવાઈ જાય છે. તેઓ સંતાનના વિરહના ઊંડા આઘાતમાં આ દુનિયા છોડી જાય છે, પણ પાછળ રહી ગયેલી એની બાળસખા, વિરહની અગ્નિમાં દાઝી હોવા છતાં એક અનુકંપાભરી સાધિકા બનીને પોતાને ડૂબાડી ગયેલાને જ ઉગારે છે. 

 મન અને શરીરના સંબંધોની ઉપર, આત્માના ગુણધર્મોને અને નૈતિક મૂલ્યોને પોતાના જીવનમાં વણીને જીવી રહેલી આ બાળસખા ઈશ્વરના મસીહા તરીકે આવીને એને પ્રેમથી બેઠો કરે છે, સાત્ત્વિકતા અને નિર્લેપ લાગણીથી જીવનના રસ્તાઓ પર બાકીની સફરનો માર્ગ બતાવે છે. 

આઘાત, વેદના, સંવેદના, નિ:સ્વાર્થ, નિર્લેપ, નિર્દોષ લાગણી અને પારદર્શીય પ્રેમથી વણાયેલી આ મહા-નવકથા સાચા અર્થમાં
હૃદય-સ્પર્શી હોવાથી વાંચકોના હૈયાને લાગણીથી ભરી દેશે. લાગણીથી વિરક્ત રહેતાં હૈયાંઓ પણ આ નવલકથા વાંચીને લાગણીનાં વહેણમાં ભીંજાયા હોવાની અનુભૂતિ કરી શકશે એવી લેખકને આશા છે.

                    બીજું બધું બાજુએ મૂકીને પણ આપણા હૃદયના બારણાં ઠોકીને, જે પુસ્તક એના વાંચનમાં એકાકાર થવાની પ્રેરણા આપણા હૈયે જગાવે,                                 એવી આ નવલકથા માનવસંબંધોની ધરતી ઉપર  લાગણીનાં વૃક્ષો સ્થાપિત કરતી જશે.

 

આવો, આપણે પણ આપણા પરિવારમાં આ નવલકથા વસાવીને 

સ્વજનોમાં સાત્વિક લાગણીઓનાં તરંગો વહેતાં મૂકીએ.

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author and Publisher.

 


04.  'અતીતની ગલીઓમાં'  -  મીરાં ની કલમે

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Sep 10, 2022 12:33 AM, હરીશ પંચાલ 'હૃદય'

જીવનસાથીને ગુમાવ્યા ઉપરાંત, વર્ષો પહેલાં એની ગેરહાજરીમાં સ્વર્ગે સિધાવેલાં એનાં બા-બાપુજીના અવસાનના આઘાતની પ્રત્યક્ષ અનુભૂતિ એને આવતીકાલે થવાની છે. એકલો પડેલો એ દુ:ખિયારો જીવ - મારો નાનપણનો બાળસખા આ આઘાતને કઈ રીતે લેશે એ વિચારે મને અજંપો મહેસૂસ થઈ રહ્યો હતો. એમાં મારી પણ પરીક્ષા થવાની હતી: "હું એને હૈયાધારણ આપીને એની વેદનાને શાંત કરી શકીશ કે નહીં? પોતાના આકરા નિર્ણય માટે પશ્ચાત્તાપની જે આગ એના અંતરમાં ઊઠી રહી હશે એમાંથી હું એને બહાર કાઢી શકીશ કે નહીં?.." આ બધા વિચારોમાં હું અટવાયેલી  હતી ત્યાં જ શ્રુતિએ મારી તરફ પડખું ફેરવ્યું અને એની સાથે એનો જમણો હાથ મારા શરીર પર આવ્યો. મને રોજ ડાબે પડખે ફરીને સૂવાની ટેવ હતી. પણ અત્યારે પડખું ફેરવવામાં શ્રુતિ જાગી જાય એની મને ચિંતા હતી. આજે કેટલાય મહિનાઓ પછી એ મારી બાજુમાં સૂતી હતી. “મા બાજુમાં હોય ત્યારે બધી જ દીકરીઓ વાત્સલ્ય અનુભવવા આ રીતે સૂતી હશે?

210

Read more

03. ઊઠ્યા તેઓ ઉપર એટલું, કદ અમારું દીસે વામણું

 

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:25 PM, હરીશ પંચાલ 'હૃદય'

વેદાંતના અભ્યાસમાં ઊંડા ઉતરીને મનુષ્ય જીવનમાં ઈશ્વર સાથેની કડીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને એ સમજાયું કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, અહીં આપણું શું પ્રયોજન છે, શું કરવાનું છે, આ જગતમાં ઈશ્વર સિવાય બાકીનું બધું જ અ-સત છે, માત્ર ઈશ્વર જ સત છે, સત્ય છે. મનુષ્યસેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે. 

203

Read more

02. એમને વેદનાના અમે પાયાં'તાં વિષ, તો'ય એમણે આપી અમને હૈયાની પ્રીત!

 (આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:21 PM, હરીશ પંચાલ ‘હૃદય’

૩૫ વર્ષો !’ જીવનનો કેટલો લાંબો ગાળો હતો એ! અને કેટલો મહત્ત્વપૂર્ણ ! જે વર્ષોમાં હૈયામાં ઉમંગો તરવરતાં હોય, જુવાનીનું જોશ હોય, નાનપણથી અંતરના ઊંડાણમાં સંઘરી રાખેલી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તમ્મના હોય, એમને ફળીભૂત કરવા માટે જે નિર્ણયો અને કાર્યો  નિર્ધારી રાખ્યાં હોય, એ બધાં સ્વપ્નોને, એ ઈચ્છાઓને યુવાનીમાં સાકાર થતાં જોવાનો - એનો આનંદ માણવાનો જે યુગ હોય એ યુગ વીતી ગયો હતો. મીરાંએ પણ એના પ્રેમાળ હૈયામાં ઊંચા મનોરથો સેવ્યા હતા, કેટલી મહત્ત્વની યોજનાઓ વિચારી રાખી હતી, ભવિષ્ય માટે. એ યોજનાઓને અમલમાં મૂકવાનો સમય બહુ દૂર નહોતો. પણ જેની સાથે, જેના સહારા વડે એ યોજના પાર પાડવાની હતી, જે એના જીવનનું સુકાન સંભાળવાનો હતો એ સુકાની છેલ્લી ઘડીએ એને મૂકીને ચાલી ગયો હતો. એ બેદરકાર, બેજવાબદાર અને અવિચારી સુકાની હું જ હતો. 

230

Read more

01. માતૃભૂમિની વિસરાયેલી શેરીઓમાં

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at hridaysparsh17@gmail.com

 

Aug 02, 2022 01:02 PM, હરીશ પંચાલ 'હૃદય'

“ત્રણ દાયકા પછી આ ધરતીની માટી પર પગ મૂકું છું. હૈયામાં સુષુપ્ત થઈને સૂતેલાં સ્પંદનો ખબર નહીં કેમ, કોઈ અવર્ણનીય બેચેનીથી જાગૃત થઈ રહયાં છે.    ધરતી પર મેં પહેલો  શ્વાસ લીધો હતો. મારું પહેલું  રુદન આ ધરતીએ સાંભળ્યું  હતું. આ જ ગામની ગલીઓમાં મારું નિર્દોષ બાળપણ વીત્યું હતું. જેમની સાથે રમતાં, લડતાં - ઝઘડતાં બાળપણની મસ્તીઓ માણી હતી તેઓ બધાં ક્યાં હશે, કોને ખબર!  એમના બાલ્યાવસ્થાના ચહેરા હજી મને યાદ છે. પણ ૩૫ વર્ષો પછી સામે મળે તો તેમને હું કેવી રીતે ઓળખી શકવાનો હતો?  ઈશ્વરની કૃપા થાય અને એવું કોઈ મળે જે મને ઓળખી શકે અને હું એને ઓળખી શકું, તો કેવું સારું ! કોઈ જ ન મળે તો પણ આ ગામની શેરીઓ, અથવા ગામના ચોરાઓ, કોઈના તો એંધાણ દેશે ને ? છેલ્લા ૩૫ વર્ષોમાં રસ્તાઓ એટલા બધા તો બદલાઈ નહીં ગયા હોય કે મને મારું ઘર જ ન મળે !”

254

Read more

ચાલો આપણી યાત્રા આરંભ કરીએ

Jul 26, 2022 09:18 PM, હરીશ પંચાલ ‘હૃદય’

માનવ સંબંધોમાં અનુભવાતા ઉતાર-ચઢાવ, આશા – નિરાશા, સુખ-દુ:ખ વગેરેનાં વિરોધાભાસી સંવેદનો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પરની સફર દરમ્યાન મનમાં કેટલાં ય પ્રશ્નો ઉઠતા રહે છે જેના જવાબ આપણા અનુભવોમાંથી જ શોધવા પડે છે.

223

Read more