01. માતૃભૂમિની વિસરાયેલી શેરીઓમાં
No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal ‘હૃદય’
“ત્રણ દાયકા પછી આ ધરતીની માટી પર પગ મૂકું છું. હૈયામાં સુષુપ્ત થઈને સૂતેલાં સ્પંદનો ખબર નહીં કેમ, કોઈ અવર્ણનીય બેચેનીથી જાગૃત થઈ રહયાં છે. આ ધરતી પર મેં પહેલો શ્વાસ લીધો હતો. મારું પહેલું રુદન આ ધરતીએ સાંભળ્યું હતું. આ જ ગામની ગલીઓમાં મારું નિર્દોષ બાળપણ વીત્યું હતું. જેમની સાથે રમતાં, લડતાં - ઝઘડતાં બાળપણની મસ્તીઓ માણી હતી તેઓ બધાં ક્યાં હશે, કોને ખબર! એમના બાલ્યાવસ્થાના ચહેરા હજી મને યાદ છે. પણ ૩૫ વર્ષો પછી સામે મળે તો તેમને હું કેવી રીતે ઓળખી શકવાનો હતો? ઈશ્વરની કૃપા થાય અને એવું કોઈ મળે જે મને ઓળખી શકે અને હું એને ઓળખી શકું, તો કેવું સારું ! કોઈ જ ન મળે તો પણ આ ગામની શેરીઓ, અથવા ગામના ચોરાઓ, કોઈના તો એંધાણ દેશે ને ? છેલ્લા ૩૫ વર્ષોમાં રસ્તાઓ એટલા બધા તો બદલાઈ નહીં ગયા હોય કે મને મારું ઘર જ ન મળે !”
"મારું ઘર!” મને હજી કોઈ અધિકાર રહ્યો હતો, એને "મારું ઘર" કહેવાનો? આ ગામમાં, આ ધરતી પર પગ મુકવાની યોગ્યતા પણ હું ગુમાવી બેઠો હતો. ૩૫ વર્ષો પહેલાં બાગ-બગીચા,અને ફૂલવાડીથી ભરેલી, લોકોની અવરજવરથી અને પ્રવૃત્તિઓથી ધમધમી રહેલી હવેલી, જે મારું ઘર હતું, એ બધું છોડીને, મારા બા-બાપુજીને પાછળ મૂકીને હું ચાલી ગયો હતો. શું મારો એ ગુસ્સો વ્યાજબી હતો? આટલાં બધાં વર્ષો પરદેશ જઈને સ્થાયી થયો એ દરમ્યાન માતા-પિતાની યાદે મને પાછો કેમ નહીં વાળ્યો? એમની યાદ તો ઘણી વાર આવતી. ત્યારે લાંબા સમય સુધી એક ઊંડી ગમગીની મગજ પર છવાયેલી રહેતી. છતાં મારી કઠોરતા કેટલી કે એક વાર પણ મેં એમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન નહોતો કર્યો; એક નાનકડો કાગળ પણ નહોતો લખ્યો. હવે આટલાં વર્ષો પછી, આજે આ ગામના રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં એ બધી વાતો હૈયાને શાને કોરી ખાય છે?”
………………
અંદરથી અવાજ આવ્યો: "બારણે કોણ આવ્યું છે, શ્રુતિ? તું કોની સાથે વાતો કરે છે?"
તો મારી સામે ઊભેલી ધીર, ગંભીર અને મોભાદાર યુવતી 'શ્રુતિ' હતી.
એણે જવાબ આપ્યો: "દીદી, આ ભાઈ બહુ દૂરથી આવ્યા છે. કહે છે, એમનું નામ વૈદ આશુતોષ છે……."
આ વાક્ય માંડ પૂરું થયું હશે ત્યાં તો અંદરથી ઝડપભેર દોડીને કોઈ બહાર આવી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. એક આધેડ વયની મહિલા હાંફતી, હાંફતી મારી સામે આવીને ઊભી રહી. એનો શ્વાસ બહુ ઝડપથી ચાલતો હતો. પગથી માથાસુધી એ મને નિહાળી રહી હતી. અજાણ્યા પરિવેશમાં કોઈ જાણીતા ચહેરાને પહેચાનવા મથતી હોય એમ એની સ્મરણ શક્તિ એની દ્રષ્ટિ કરતાં વધુ ઝડપથી મને ઓળખવા ઉત્સુક થઈ રહી હોય એવો અણસાર એના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો. જો કે આ જ પરિસ્થતિ મારી પણ હતી. મારા મગજમાં હતાશા, મૂંઝવણ અને વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલી રહયું હતું. શું થઈ રહયું હતું એનો તાગ હું કાઢી શકું એ પહેલાં તો એ દોડીને, બારણાં બહાર આવીને મને ભેટી પડી. ગણી પણ નહીં શકાય એટલી ઝડપથી ચાલી રહેલા એના હૃદયના ધબકારા હું અનુભવી રહ્યો હતો.
એ બોલી: "ઓહ આશુ, આશુ, મારા આશુ! ક્યાં હતો તું આટલાં બધાં વર્ષો?"
એની આંખોના આંસુ મારી ગરદનેથી ઉતરીને એની ભીની લાગણીઓની ઉષ્માનો અનુભવ કરાવી રહયાં હતાં.
તો આ જ મારી મીરાં હતી! ૩૫ વર્ષો પહેલાં મેં મારું ઘર, મારું ગામ છોડ્યું એ પછી કદાચ આ પહેલી આહલાદ્ક પળ હતી, મારે માટે. મારે રડવું નહોતું છતાં આંખોએ મારું માન્યું નહીં. મારી આંખોને પણ એમની પ્રિય મીરાંથી દૂર, વિતાવેલા ૩૫ વર્ષોમાં વેઠેલી વિરહ-વેદનાની ફરિયાદ કરવી હશે! અમારા બેઉના આંસુઓને વહેતાં જ રહેવાની ઈચ્છા હોય એમ અટકવાનું નામ નહોતાં લેતાં.મારા બેઉ હાથો મીરાંના વાંસાને હળવે, હળવે શાંત્વન આપી રહ્યા હતા. મારો અશ્રુભર્યો ચહેરો ખમીસથી લૂછવા મેં ખભો ઊંચો કર્યો અને ચહેરો જમણી બાજુ ફેરવ્યો તો મેં જોયું કે શ્રુતિની આંખો પણ ભીની હતી. કેટલો સમય વીત્યો હશે એની ખબર રહી નહોતી, પણ મીરાંના માથા ઉપર હાથ મૂકીને મેં એને અળગી કરતાં કહયું: "મીરાં આટલાં બધાં વર્ષો પછી તને મળ્યો છું, તારો ચહેરો તો જોવા દે!”
મીરાંએ એના બેઉ હાથો મારા ચહેરા પર ફેરવ્યા અને મારું કપાળ ચૂમ્યું. "ચાલ હવે, અંદર. મારો ચહેરો પછી નિરાંતે જોયા કરજે. તને શું ખબર, મારા કેટલાં વર્ષોની તપસ્યા આજે ફળી! મારા જીવનની કેટલી આહલાદ્ક ઘડી છે આ!"
………………
મારી સાથે એક એવી વ્યક્તિ વાત કરી રહી હતી જેને મેં પહેલાં કોઈ વાર જોઈ નહોતી. એને માટે પણ હું અજાણ્યો હતો, છતાં એની આંખોમાં અને શબ્દોમાં માનવ સહજ લાગણીની સાહજિકતા અનુભવાતી હતી. મારાથી બોલાઈ ગયું: "તમારી આટલી બધી સરભરા મને ભાવાવિભોર બનાવે છે. હું અને મીરાં આટલાં બધાં વર્ષો પછી મળ્યા એટલે અમે લાગણીમય થઈ જઈએ એ સ્વાભાવિક છે. પણ હું આવ્યો એ પછી તમારી સંવેદના પણ મને સ્પર્શી ગઈ. તમે મારી આટલી બધી સરભરા નહીં કરો."
શ્રુતિના ચહેરા પર અચાનક ઉદાસી ઉતરી આવી: "હજી એક કામ બાકી છે."
એ શબ્દો સાથે વાંકી વળીને એ મને પગે લાગી. એના ખભા પકડીને મેં એને ઊભી કરી અને એને માથે હાથ મૂક્યો. આંખોમાં આંખો મેળવવાને બદલે નજર નીચે રાખીને એ નતમસ્તક ઊભી હતી. એની આંખો દ્વારા એના હૈયામાં ઝાંકવા મેં એની હડપચી ઊંચી કરી તો એની આંખોના ખૂણામાં આંસુના તોરણ બંધાતાં જોયાં.
એ ગઈ. પણ જતાં પહેલાં મારી સાથે નજર મેળવીને એટલું બોલી ગઈ: "મારા પિતાજીને નાનપણથી જ મેં ગુમાવી દીધા હતા. પણ તમારામાં હું મારા પિતાની છબી નિહાળી રહી છું."
એકદમ સીધા, સાદા શબ્દો હતા એ, છતાં હૈયામાં ગમગીનીની રેખાઓ ખેંચતા ગયા. મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો: "હું જ્યાં જાઊં છું, જેમને મળું છું તે બધા દુ:ખની નદીઓમાં વહી રહ્યા હોય એવું શાને લાગે છે?”
રાત્રિ આગળ વધી રહી હતી. થાકેલા શરીરને આરામની જરૂર હતી. હારેલા મનને શાંતિ જોઈતી હતી. પલંગમાં પડતાંની સાથે નિદ્રાદેવીએ ક્યારે કૃપા કરી તેની ખબર નહીં રહી.
.....................
માનવ સંબંધોનાં જીવંત પાત્રોને લઈને, એમને લાગણીના તાંતણે ગૂંથીને વણાયેલી નવલકથા
‘ધાગા લોહીના કાચા, નાતા પ્રીતના સાચા’ અહીંથી આરંભ થાય છે.
ચાલો, આપણે પણ આ પાત્રો સાથેની જીવન સફરમાં જોડાવા, આ પુસ્તક વસાવીએ.
04. 'અતીતની ગલીઓમાં' - મીરાં ની કલમે
(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)
No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal ‘હૃદય’
જીવનસાથીને ગુમાવ્યા ઉપરાંત, વર્ષો પહેલાં એની ગેરહાજરીમાં સ્વર્ગે સિધાવેલાં એનાં બા-બાપુજીના અવસાનના આઘાતની પ્રત્યક્ષ અનુભૂતિ એને આવતીકાલે થવાની છે. એકલો પડેલો એ દુ:ખિયારો જીવ - મારો નાનપણનો બાળસખા આ આઘાતને કઈ રીતે લેશે એ વિચારે મને અજંપો મહેસૂસ થઈ રહ્યો હતો. એમાં મારી પણ પરીક્ષા થવાની હતી: "હું એને હૈયાધારણ આપીને એની વેદનાને શાંત કરી શકીશ કે નહીં? પોતાના આકરા નિર્ણય માટે પશ્ચાત્તાપની જે આગ એના અંતરમાં ઊઠી રહી હશે એમાંથી હું એને બહાર કાઢી શકીશ કે નહીં?.." આ બધા વિચારોમાં હું અટવાયેલી હતી ત્યાં જ શ્રુતિએ મારી તરફ પડખું ફેરવ્યું અને એની સાથે એનો જમણો હાથ મારા શરીર પર આવ્યો. મને રોજ ડાબે પડખે ફરીને સૂવાની ટેવ હતી. પણ અત્યારે પડખું ફેરવવામાં શ્રુતિ જાગી જાય એની મને ચિંતા હતી. આજે કેટલાય મહિનાઓ પછી એ મારી બાજુમાં સૂતી હતી. “મા બાજુમાં હોય ત્યારે બધી જ દીકરીઓ વાત્સલ્ય અનુભવવા આ રીતે સૂતી હશે?”
02. એમને વેદનાના અમે પાયાં'તાં વિષ, તો'ય એમણે આપી અમને હૈયાની પ્રીત!
(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)
No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal ‘હૃદય’
’૩૫ વર્ષો !’ જીવનનો કેટલો લાંબો ગાળો હતો એ! અને કેટલો મહત્ત્વપૂર્ણ ! જે વર્ષોમાં હૈયામાં ઉમંગો તરવરતાં હોય, જુવાનીનું જોશ હોય, નાનપણથી અંતરના ઊંડાણમાં સંઘરી રાખેલી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તમ્મના હોય, એમને ફળીભૂત કરવા માટે જે નિર્ણયો અને કાર્યો નિર્ધારી રાખ્યાં હોય, એ બધાં સ્વપ્નોને, એ ઈચ્છાઓને યુવાનીમાં સાકાર થતાં જોવાનો - એનો આનંદ માણવાનો જે યુગ હોય એ યુગ વીતી ગયો હતો. મીરાંએ પણ એના પ્રેમાળ હૈયામાં ઊંચા મનોરથો સેવ્યા હતા, કેટલી મહત્ત્વની યોજનાઓ વિચારી રાખી હતી, ભવિષ્ય માટે. એ યોજનાઓને અમલમાં મૂકવાનો સમય બહુ દૂર નહોતો. પણ જેની સાથે, જેના સહારા વડે એ યોજના પાર પાડવાની હતી, જે એના જીવનનું સુકાન સંભાળવાનો હતો એ સુકાની છેલ્લી ઘડીએ એને મૂકીને ચાલી ગયો હતો. એ બેદરકાર, બેજવાબદાર અને અવિચારી સુકાની હું જ હતો.
03. ઊઠ્યા તેઓ ઉપર એટલું, કદ અમારું દીસે વામણું
(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)
No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal ‘હૃદય’
વેદાંતના અભ્યાસમાં ઊંડા ઉતરીને મનુષ્ય જીવનમાં ઈશ્વર સાથેની કડીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને એ સમજાયું કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, અહીં આપણું શું પ્રયોજન છે, શું કરવાનું છે, આ જગતમાં ઈશ્વર સિવાય બાકીનું બધું જ અ-સત છે, માત્ર ઈશ્વર જ સત છે, સત્ય છે. મનુષ્યસેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે.
ચાલો આપણી યાત્રા આરંભ કરીએ
માનવ સંબંધોમાં અનુભવાતા ઉતાર-ચઢાવ, આશા – નિરાશા, સુખ-દુ:ખ વગેરેનાં વિરોધાભાસી સંવેદનો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પરની સફર દરમ્યાન મનમાં કેટલાં ય પ્રશ્નો ઉઠતા રહે છે જેના જવાબ આપણા અનુભવોમાંથી જ શોધવા પડે છે.
{{commentsModel.comment}}