જીવન આખું રહ્યા ચિંતિત વાંચી નહીં ગીતા ‘કિંચિત’


અગણિત જન્મોથી આપણે ધરતી ઉપર આવીને, થોડું જીવીને, વારંવાર મરીને પાછા, ૯ મહિનાની જેલ ભોગવીને થોડાં વધુ વર્ષો આ દુનિયામાં હેરાન થવા આવતા રહ્યા છીએ અને દુ:ખમાં મરતાં રહ્યાં છીએ. પણ અહીં શા માટે, શું કરવા આવીએ છીએ, જનમ અને મરણ એ બે છેડાઓની વચ્ચેની સફરમાં  શું કરી જવાનું છે, જીવનનો શું ઉદ્દેશ છે, એ સમજાય તો એ પછી એ ઉદ્દેશને હાંસિલ કરવા શું કરવાનું છે, કેવી રીતે જીવવાનું છે, જીવનમાં શું મેળવવાનું છે, શું ત્યજી દેવાનું છે,  આ બધું જ્ઞાન આપણને મળતું થાય. આ જ્ઞાન આપણા અંતરાત્મા ની અંદર જે ઈશ્વરીય તત્વ ઉતારે છે,  તે છે ભાગવદ્દ ગીતા. એને રોજીંદા જીવનમાં થોડું થોડું  (किंचित ) ઉતારતા જઈએ અને ‘ગીતામય  જીવન’ જીવતા જઈએ તો જીવનના બધા જ પ્રશ્નોને કેમ ઉકેલવા એનો ઉપાય મળતો જાય; બીજાઓ માટે, દુન્યવી મુશ્કેલીઓ માટે ને “બધાં દુ:ખો મને જ શા માટે ?” એવા પ્રશ્નોનું નિરાકરણ કુદરાઈ રીતે થતું જાય.

 


ગીતા જયંતી - માગશર સુદ ૧૧ ૨૦૭૯

 

ભગવદ ગીતા અધ્યાય ૨,            સાંખ્ય યોગ           ભાગ ૨          શ્લોક ૧૧ થી  શ્લોક ૧૫

Dec 03, 2022 05:00 PM, Harish Panchal 'Hriday'

શ્લોક ૧૧

श्री भगवानुवाच:


अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः।।2.11।।

 

શ્રીમદ ભગવદ ગીતાના તત્વજ્ઞાનની શરૂઆત બીજા અધ્યાયના આ અગિયારમાં શ્લોકથી થાય છે. અર્જુનના હતાશા અને ભ્રમિત થયેલા મનમાંથી ઉઠેલા આશંકાપૂર્ણ વાક્યો સાંભળ્યા પછી ઈશ્વર જીવનને સ્પર્શતા જ્ઞાનસત્રની રજૂઆત આ વાક્યથી કરે છે:

220

Read more

અધ્યાય ૨.         સાંખ્ય યોગ         ભાગ ૧

Nov 05, 2020 09:31 PM, Harish Panchal - 'Hriday'

“માનવજાતમાં આ પૃથ્ચી ઉપર કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને  પોતાના જીવનકાળ દરમ્યાન નાની થી  મોટી મુશ્કેલીઓમાંથી પસાર ન થવું પડ્યું હોય. આપણા  ઉપર આવેલી મુશ્કેલીઓ અથવા આપત્તિઓનું નિવારણ કરી શકવામાં  આપણે  પોતાને  અશક્તિમાન અથવા  લાચાર સમજતા હોઈએ છીએ, કારણ કે એમાંથી રસ્તો કાઢવા માટેની આપણી માનસિક અને  બૌધિક સૂઝ ટૂંકી પડતી હોય છે. આપણા વિચારો એટલી ઊંચાઈએ પહોચી નથી શકતા જ્યાંથી આપણે નિવારણ માટેના અલગ, અલગ વિકલ્પો જોઈ શકીએ અથવા વિચારી શકીએ. આનું કારણ આપણું અજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિમાન અથવા બાહોશ વ્યક્તિની બૌધિક સીમારેખાને પણ અમુક હદ હોય છે જેનાથી આગળ એની દ્રષ્ટિ અને વિશ્લેષણ શક્તિ પહોંચી નથી શકતી. જગતમાં માત્ર ઈશ્વર જ સર્વ ગુણ સંપન્ન,જ્ઞાની અને સર્વ-શક્તિમાન છે, જેની પાસે મનુષ્યલોક ના સઘળા જીવોની મુશ્કેલીઓના નિવારણની ચાવી છે. આ જ કારણથી  ઈશ્વરની કરુણા, અને એમના આશીર્વાદ તથા માર્ગદર્શનની જીવનના હર પગલે આપણને જરૂર રહે છે. તો આપણે સહુ શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણવેલા જ્ઞાનની પ્રસાદી લેતા રહીએ.”

 

949

Read more

 

“અર્જુનવિષાદયોગ”

 

મંગળ  મૂર્તિ  શ્રી ગણેશજીના  આશીર્વાદ  વગર કોઈ પણ માંગલિક અને આધ્યાત્મિક કાર્યની પરિપૂર્તિ સરળતાથી શક્ય બની શકે એ વાત શ્રધ્ધાળુઓ માનવા તૈયાર નથી. આજના શુભ દિવસે પણ, આપણે “અર્જુનવિષાદયોગ” સમજવા જઈ  રહ્યા છીએ ત્યારે ગણેશજીએ આશીર્વાદ આપીને ઉપર પોતાનું સ્થાન સંભાળી લીધું છે. આવો, એમને સાષ્ટાંગ પ્રણામ કરીને આપણી આધ્યાત્મિક શ્રેણીની શ્રુંખલા શરુ  કરીએ. 

 

Aug 13, 2020 07:23 PM, Harish Panchal ('hriday')

ભગવદ ગીતાના શ્લોકો ના રચયિતા વેદ વ્યાસ એક પછી એક શ્લોક બોલે જતા હતા. પણ રખે ને કોઈ અગત્યની વાત છૂટી ના જાય એ હેતુથી એમણે ભગવાન શ્રી ગણેશને વિનંતી કરેલી કે પોતે શ્લોક પછી શ્લોક બોલતા જાય તે  બધા એક પછી એક લખતા જાય જેથી અનુસંધાન ક્યાંક તૂટી ના જાય. ગણેશજીએ વિનંતી તો સ્વીકારી પણ પોતાની એક શરત પણ મૂકી કે વેદ વ્યાસને કોઈ પણ બે શ્લોકો વચ્ચે વિચારવાનો સમય જાય તો પોતે ઉઠીને ચાલી જશે, કારણકે તેઓ પોતાની એક ક્ષણ પણ નકામી જવા  દેવા નહોતા માંગતા. વેદ વ્યાસજી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એમણે  શરત સ્વીકારી લીધી અને આ રીતે ભગવદ ગીતાના ૭૦૧ શ્લોકોનું લેખન કાર્ય સંપૂર્ણ થયેલું. વેદ વ્યાસજી ની બુદ્ધિમતા અને તિક્ષ્ણ  ઉત્સ્ફૂરણ શક્તિ ને લાખ, લાખ વંદન. પણ  ગણેશજી વગર આપણે સહુ ભગવદ ગીતાના પાઠ કરવાને  આજે કદાચ અસમર્થ હોતે. આજે ૫૦૦૦ વર્ષો પછી પણ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણએ સમજાવેલી ગીતા આપણને સહુને માનવ ધર્મનું ગૂઢ મહાત્મ્ય સમજાવી રહી છે.

1154

Read more